Posts

Showing posts from May, 2012

વેપારી કે ગુલામ

વેપારી સાહસ કરવાથી દૂર ભાગનારા લોકો, હંમેશા કોઈ ને કોઈ પ્રકારથી ગુલામ રહી જાય છે.

ભગવાન ને ઓળખો

જીવન, મૃત્યુ, આત્મા, પરમાત્મા, પાપ, પુણ્ય, સ્વર્ગ, નરક, કર્મ બંધન, મોક્ષ પાછળ વગર વિચાર્યે દોડ્યા કરતા, સર્વ પ્રથમ આ ઘડીની જીવન જરૂરિયાત ને મેળવવા માટેનો પ્રયત્ન એજ ધર્મ છે. ક્યારેય મહેનત કર્યા વિના કોઈને કંઈ પ્રાપ્ત થયું નથી. નસીબ, ગ્રહો, ભાગ્ય જેવી વ્યર્થ વાતોમાં સમય પસાર કરવા કરતા, અંધશ્રદ્ધાને પોષવા કરતા, પરિશ્રમ કરવો એજ ધર્મ છે. પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી. બીજા લોકોની મહાનતા ના વખાણ કરવામાં સમય પસાર કર્યા કરતા, પોતાને સક્ષમ બનાવવા નો પ્રયત્ન એજ ધર્મ છે. કર્મથી મોટો ગુરુ કોઈ નથી. કર્મથી મોટો ભગવાન કોઈ નથી. સત્કર્મ એ જ ભગવાન છે.